PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ગેરકાયદે બાંધકામ કરવા બદલ મળી નોટિસ

0
163
/ahmedabad-news/civic-issues/amc-notice-to-pm-brother-for-illegal-constuction-in-odhav
/ahmedabad-news/civic-issues/amc-notice-to-pm-brother-for-illegal-constuction-in-odhav

ગેરકાયદે બાંધકામ કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ મોદીના સગા ભાઈ પ્રહલાદ મોદીને ત્રણ નોટિસ ફટકારી છે. પ્રહલાદ મોદીને શહેરના રબારી કોલોની વિસ્તારમાં આવેલી પોતાની રેશનિંગની દુકાનની બાજુમાં ગેરકાયદે બાંધકામ કરવાનો આરોપ છે. આ મકાનને આવતા મહિને તોડી પાડવામાં આવશે તેવું પણ સૂત્રોનું કહેવું છે.કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, પ્રહલાદ મોદી દ્વારા કરાયેલું બાંધકામ ગેરકાયદે છે, અને તેમને આ બાંધકામ અટકાવવા તેમજ પોતાનો પ્લાન મંજૂર કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હાલ છત્તિસગઢમાં રહેલા પ્રહલાદ મોદીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, તેમને પોતાના સૂત્રો દ્વારા ખબર પડી છે કે, તેમને નોટિસ મોકલવામાં આવી છે.પ્રહલાદ મોદીએ દાવો કર્યો છે કે, તેમણે ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને નિયમિત કરાવ્યું હતું. પરંતુ 2015માં તેમને લાગ્યું કે આ બાંધકામ ગમે ત્યારે પડી જશે, માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને પત્ર લખીને બાંધકામની ચકાસણી કરી તે જૂનું બાંધકામ છે તેવું સર્ટિફાય કરવા કહ્યું હતું, પરંતુ કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું નહીં, અને તે જ ગાળામાં બાંધકામ તૂટી પડ્યુંતેમનું કહેવું છે કે, બાંધકામ તૂટી પડ્યું તેમમાં કોઈને ઈજા નહોતી થઈ. જો તેમ થયું હોત તો મોટો વિવાદ સર્જાયો હોત. કોર્પોરેશન દ્વારા જૂના બાંધકામને નિયમિત કરી દેવાયું હોવાથી મેં ફરી ત્યાં બાદકામ શરુ કર્યુ હતું. જોકે, જેના માટે મેં ઈમ્પેક્ટ ફી ભરી દીધી છે, તે જ બાંધકામને હવે ગેરકાયદે ગણાવવામાં આવી રહ્યું છે.ગુજરાત રાજ્યની રેશનિંગની દુકાનોના માલિકોના સંગઠનના પ્રમુખ પ્રહલાદ મોદીએ 2017માં ચિમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર ઉજ્વલા યોજના હેઠળ રેશનિંગની દુકાન ધરાવતા લોકોને ગેસ સિલિન્ડર વેચવાની પરવાનગી નહીં આપે તો તમામ દુકાનદારો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે. પ્રહલાદ મોદી અનેકવાર રેશનિંગની દુકાનોના માલિકોના પ્રશ્નોને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવા બાબતે સમાચારોમાં ચમકી ચૂક્યા છે.